નવી દિલ્હી : ભારતના નાગરિક કુલભૂષણ જાધવને પાકિસ્તાનની એક સૈન્ય અદાલતે મૃત્યુદંડની સજા ફરમાવી છે. ભારતે આ ચુકાદા સામે આંતરરાષ્ટ્રીય અદાલતમાં અપીલ કરી છે. જેમાં કુલભૂષણજાધવને અાપનારી ફાંસી પર આંતરરાષ્ટ્રીય કોર્ટે મનાઇહુકમ ફરમાવતાં જ્યાં દેશભરમાં આ નિર્ણયની ઉજવણી કરવામાં આવી રહી છે.
ICJએ કેસમાં ચુકાદો ના આવે ત્યાં સુધી કુલભૂષણને મૃત્યુદંડની સજા આપવા સામે મનાઇ હુકમ ફરમાવ્યો છે. ત્યારે જસ્ટિસ કાત્જુએ ફેસબુક પોસ્ટમાં આ અંગે વિવાદસ્પદ નિવેદન આપ્યું છે કે "મારા મતે આ કેસમાં ICJની વાટ પકડીને ભારતે ભૂલ કરી છે. કાત્જુ લખે છે કે એક રીતે આપણે પાકિસ્તાનના હાથમાં રમી રહ્યા છીએ. આપણે
પાકિસ્તાનને ICJમાં અન્ય મુદ્દા ઉઠાવવાની પણ છૂટછાટ આપી દીધી. તેથી જ પાકિસ્તાને ICJના ચુકાદાનો ગંભીરતાથી વિરોધ નથી કર્યો. કાત્જુએ ફેસબુક પોસ્ટમાં આશંકા વ્યકત કરી છે કે પાકિસ્તાન તેનો ઉપયોગ કાશ્મીર મુદ્દા માટે કરી શકે છે. હવે તે નક્કી છે કે પાકિસ્તાન કાશ્મીર વિવાદના ઉકેલ માટે ICJની વાટ પકડશે. આવી સ્થિતિમાં ભારત ICJના ચુકાદા પર કંઇ કહી પણ નહીં શકે અને વધુમાં કહ્યું કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના અધિકાર પર પાકિસ્તાન તરફથી ઘણો ઓછ વિરોધ કરવામાં આવ્યો છે.