જમ્મૂ-કશ્મીરના હંદવાડામાં સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હંદવાડામાં 4થી 5 આતંકીઓ છુપાયા હોવાની આશંકા હતી અને તેના પછી હંદવાડામાં આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હંદવાડામાં ગત રોજથી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી. અંતે આ સર્ચ ઓપરેશનમાં બે આતંકીઓ ઠાર કરાયા છે અને બે જવાનો પણ શહીદ થયા છે.