નવી દિલ્હી : કૂટનીતિક અને સામરિક મોર્ચા પર પાકિસ્તાનની સાથે ચાલી રહેલ તણાવ વચ્ચે ભારતીય વાયુસેના પ્રમુખ બી.એસ ધન્વાએ તમામ 12 હજાર અધિકારીઓને પત્ર લખ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન પરિસ્થિતીને ધ્યાને રાખી શોર્ટ નોટિસ પર કોઇ પણ ઓપરેશન માટે તૈયાર રહે.
એક અગ્રણી અખબારનાં અહેવાલ અનુસાર આ પત્ર 30 માર્ચે લખવામાં આવ્યો હતો. તેના પર વાયુસેના અધ્યક્ષ ધન્વાનાં હસ્તાક્ષર પણ છે. પત્રમાં ભાઇ ભત્રીજાવાદ મુદ્દે યૌન ઉત્પીડન સહિત અલગ અલગ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવું પહેલીવાર થઇ રહ્યું છે જ્યારે કોઇ વાયુસેના પ્રમુખે તમામ અધિકારીઓને પત્ર લખ્યો છે. અગાઉ બે સેના પ્રમુખ ફિલ્ડ માર્શ (તત્કાલીન જનરલ)કે.એણ કરિયપ્પાએ 1 મે 1950 અને જનરલ કે.સુંદરજીએ 1 ફેબ્રુઆરી 1986માં આ પ્રકારનાં પત્ર લખ્યા હતા.
ધન્વાએ પત્રમાં Sub-conventional threatનો ઉલ્લેખ કરતા ટ્રેનિંગ પર ફોકસ કરવા માટે જણઆવ્યું છે. જાણકારોનાં અનુસાર આ શબ્દનો ઉપયોગ પાકિસ્તાન દ્વારા છેડવામાં આવેલા છદ્મ યુદ્ધનાં માટે કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલનાં સમયમા જમ્મુ કાશ્મીરમાં સેનાનાં કૈંપો અને સુરક્ષાદળો પર આતંકવાદી હૂમલામાં વધારો થયો છે. સીમા પર પાકિસ્તાની સેના તરફથી સિઝફાયર ઉલ્લંઘનનાં કિસ્સા સતત પ્રકાશમાં આવી રહ્યા છે.