નાથુલા: પેરા મિલિટ્રીના શહીદ જવાનોના પરિવારને હવે 1 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે. કેદ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આ અંગે જાહેરાત કરી છે કે ડયૂટી પર તૈનાત પેરા મિલિટ્રી ફોર્સના કોઈપણ જવાનના શહીદ થવા પર તેના પરિવારને એક કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે.
રાજનાથસિંહે જણાવ્યું કે પેરા મિલિટ્રી ફોર્સના 34 હજાર કોન્સ્ટેબલની પોસ્ટ્સને અપગ્રેડ કરીને હેડ કોન્સ્ટેબલમાં તબ્દીલ કરવામાં આવશે. જવાનો પોતાની ફરિયાદો હોમ મિનિસ્ટ્રીની એપ પર જણાવી શકે છે. રાજનાથસિંહ શનિવારના સિક્કિમના નાથુલા પહોંચ્યા હતા. જ્યાં તેમણે બોર્ડર આઉટ પોસ્ટ પર સૈનિક સમ્મેલનમાં પણ ભાગ લીધો હતો.