જૂનાગઢના ભવનાથ મંદિરના મહંતપદ માટેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. મહંતપદનો ઓર્ડર ગેરબંધારણીય હોવાના આક્ષેપ સાથે આનંદ આશ્રમના સાંધ્યગિરીએ આત્મવિલોપનની ચિમકી આપી છે. જૂનાગઢ કલે~ટરને પત્ર લખી તેમણે આ ચિમકી આપી છે. તો વળી ચિમકી આપ્યા બાદ સાંધ્યગિરી ગાયબ છે. તારીખ 13મે ના રોજ પત્ર લખી તેઓ ગાયબ થઇ ગયા છે. હવે સાંધ્યગિરીને શોધવા પોલીસ સહિત વહિવટી તંત્ર સાધુને શોધવા દોડતું થયું છે.