ઇન્ટરનેશન કોર્ટે કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લગાવ્યા બાદ પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારત ન્યૂકિલયર સપ્લાયર્સ ગ્રુપ (એનએસજી)માં શાંતિપૂર્ણ વ્યવસ્થા માટે આપવામાં આવેલા ન્યૂકિલયર મટીરિયલ્સનો ઉપયોગ હથિયારો બનાવવા માટે કરી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા નફીસ જકારિયાએ કહ્યું હતું કે ભારત આ ગ્રુપ હેઠળ ન્યૂકિલયર ફ્યુલ સામાન અને ટેકનિકનો ઉપયોગ હથિયાર બનાવવવા માટે કરી રહ્યું છે.
ઉપરાંત આરોપ લગાવ્યો કે ભારત દ્ધારા પરમાણુ ઉર્જાના આ રીતે દુરુપયોગ પરમાણુ પ્રસાર સંબંધિત એક ગંભીર મુદ્દો છે. એટલું જ નહીં આ દક્ષિણ એશિયાની સાથે સાથે પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા પર ગંભીર પ્રભાવ પાડી શકે છે. તેમણે આ આરોપ હાવર્ડ કેનેડી સ્કૂલ અને અન્ય રિપોર્ટના આધાર પર લગાવ્યો હતો.