રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્માં સતત વધી રહેલા ગરમીના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગે વધુ એક વખત અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી પાંચ દિવસ માટે ફરીથી ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે તેવી આગાહી કરી છે.
તો રાજ્યમાં આજે ગરમીનો પારો 42 ડીગ્રી પાર નોંધાયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સૌથી વધુ તાપમાન 44 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ભાવનગર અને ડીસામાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ સિવાય રાજકોટમાં 41 ડિગ્રી વડોદરામાં 40 ડિગ્રી જૂનાગઢમાં 38 ડિગ્રી અને સુરતમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ માટે હવામાન વિભાગે યેલ્લો એલર્ટ જાહેર કર્યું છે. તેમજ આગામી પાંચ દિવસ સુધીમાં ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના ન હોવાનું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
બીજીબાજુ કાળઝાળ ગરમી વચ્ચે અમરેલીના સાવરકુંડલા પંથકમાં વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લોકોને કાળઝાળ ગરમીમાં થોડી રાહત મળી છે. મળતી માહિતી પ્રમાણે રામગઢ લુવારા ગાધકડામાં હળવા પવન સાથે વરસાદી ઝાપટું પડયું છે.