રાજ્યભરમાં સસ્તા અનાજના દુકાનદારો લડી લેવાના મૂડમાં છે. દુકાનદારો 28મી મેથી હજતાળ પર ઉતરશે. ઓછી આવક અને કમિશનના મુદ્દે દુકાનદારોએ હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત ફેર.પ્રાઇઝ એસો.ના પ્રમુખ પ્રહલાદ મોદીએ કહ્યુ કે જુન મહિનાથી અનાજના જથ્થાની પરમીટ નહિ લેવાય. રાજ્યમાં 18 હજાર દુકાનદારો હડતાળ કરશે. પ્રહલાદ મોદીએ જણાવ્યુ કે સરકારને વારવાર રજૂઆત કરી છે પણ માત્ર લોલીપોપ આપે છે. સાત વર્ષથી રજૂઆત ચાલી રહી રહેલી રજૂઆતને નહીં સ્વીકારાતા આ નિર્ણય લીધો છે.