તાજેતરમાં રમાયેલા સુલતાન અઝલાન શાહ કપ હોકી ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ કરનારા મનપ્રીત સિંઘને ભારતીય હોકી ટીમના કેપટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ભારતીય હોકી ટીમ મનપ્રીતના નેતૃત્વમાં જર્મનીમાં ત્રણ દેશોની ઈન્વિટેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આ પછી ભારત ઈંગ્લેન્ડની ભૂમિ પર યોજાનારી વર્લ્ડ હોકી લીગની સેમિ ફાઈનલ્સ ટુર્નામેન્ટમાં રમશે.
ભારતના નિયમિત કેપ્ટન શ્રીજેશના અઝલાન શાહ કપ દરમિયાન ઈજા થઈ હતી જેના કારણે મનપ્રીતને કેપ્ટન્સી સોંપવામાં આવી છે. ત્રણ દેશોની હોકી ટુર્નામેન્ટ જર્મનીના ડસેલડફમાં તા. 1 જુનથી શરૃ થશે.. 18 સભ્યોની ભારતીય હોકી ટીમ જર્મનીમાં યજમાન દેશ ઉપરાંત બેલ્જીયમ સામે મુકાબલો ખેલશે. આ પછી તેઓ ઈંગ્લેન્ડમાં એલિટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે જેમાં ભારતને ગ્રુપ બીમાં પાકિસ્તાન કેનેડા નેધરલેન્ડ અને સ્કોટલેન્ડની સાથે તક મળી છે.