IPL:ઈન્ડિયન પ્રીમિયર લીગની દસમી સિઝનમાં આજેસનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે એલિમિનેટર મુકાબલો ખેલાશે. આ મેચમાં વિજેતા બનનારી ટીમને તા. 19મી શુક્રવારે રમાનારી કવોલિફાયર ટુ એટલે કે સેમિ ફાઇનલમાં રમવાની તક મળશે. જ્યારે હારનારી ટીમ બહાર ફેંકાશે. ટૂંકમાં ચેમ્પિયન બનવાની આશા જીવંત રાખવા માટે આજે રમાનારી મેચમાં બંને ટીમોએ જીતવું ફરજીયાત છે.
હારનારી ટીમ આઇપીએલમાંથી બહાર ફેંકાઈ જશે જ્યારે જીતનારી ટીમને ફાઇનલમાં પ્રવેશવા કવોલિફાયર ટુ પણ જીતવી પડશે. ડેવિડ વોર્નરની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે રમી રહી છે અને તેઓ ફરી વખત ટાઈટલ જીતવા માટે ઉત્સુક છે. જ્યારે ગૌતમ ગંભીરના નેતૃત્વ હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ બે વખત ચેમ્પિયન રહી ચુકી છે અને આ વખતે ત્રીજું ટાઈટલ મેળવવાની કોશીશ કરશે.