કિંમતી જમીનો હડપ કરીને બારોબાર વેચી દેવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જમીનોની કિંમતો વધતા આવા કિસ્સા પણ વધી રહ્યા છે. જમીન અને દલાલને મૃત ખેડૂતની જમીન વેચવા આવેલા ત્રણ ઈસમોની ગેંગનો વડોદરા એલસીબીએ પર્દાફાશ કર્યો છે. છટકું ગોઠવી આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા છે.પોર ગામના મૃતક ખેડૂત સુરેશ માધવ પટેલની આઠ વીઘા જમીન હતી. દલાલની વેચવા આવેલા ત્રણ ઈસમોની જાણ મૃતક ખેડૂતના ભાઈની થતા તેમને પોલીસને જાણ કરી હતી.
તો બાનાખત કરાવવા આવેલા ઈસમોમાં કલોલના પ્રતાપપુરાના મુકેશ પટેલ મૃતક ખેડૂત સુરેશ માધવ પટેલ નામ ધારણ કર્યું હતું. જયારે જામકંડોરણાના મનહર ગજેરા એ મનોજ નામ ધારણ કર્યું હતું અને એ અમદાવાદના ઓગણજ ગામ્ના વસંત પાંડુરંગ હેડાઉએ આ જમીન વેચવાનો કારસો રચ્યો હતો.
જોકે પોલીસે સફળ રીતે છટકું ગોઠવીને પૈસા લેવા આવે ત્યારેજ પકડી પડયા હતા. પોલીસે છેતરપિંડી કરી ને જમીન વેચી મારવાના કૌભાંડની સાથે સાથે ખોટું ચૂંટીકાર્ડ કેવી રીતે બન્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત જૂનાગઢના ખલિલપૂરના અશોક ચુના ગુદડીયા ફરાર થઇ ગયો છે. જે આ જમીન વેચવા માટેનો મુખ્ય સૂત્રધાર છે છે તેની શોધખોળ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓએ રાજ્યના અન્ય જિલ્લા ઓમાં પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું પોલીસનું અનુમાન હોવાથી વધુ તપાસ હાથ ધરી છે.