પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શ્રીલંકા પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના સૌથી જૂના બૌદ્ધ મંદિરમાં પૂજા કરી. પીએમ મોદીએ 120 વર્ષ જૂના ગંગારામયા મંદિરમાં પૂજા અર્ચના કરી ફુલ અર્પણ કર્યા હતા. પીએમ મોદી સાથે શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંધે પણ હતા.
મોદી મંદિરના પવિત્ર ગર્ભગૃહમાં દાખલ થયા હતા અને દીપ પ્રાગટ્ય કર્યું હતું. તો હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બૌદ્ધ ધર્મના સૌથી મોટા તહેવાર અંતરરાષ્ટ્રીય વેસાક દિવસના સમારોહમાં ભાગ લેશે. પીએમ મોદી ભારતના સહયોગથી નિર્માણ થયેલા સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલનું ઉદ્ધાટન કરશે.