કોલકાતા નાઈટ રાઈડર્સ અને કિંગ ઈલેવન પંજાબ વચ્ચે રમાનારી આઈપીએલની મેચ વિશેષ કરીને પંજાબ માટે મહત્વની છે કેમ કે હવે તેઓ તેમની ત્રણેય મેચ જીતે તો જ પ્લે ઓફમાં સ્થાન મેળવવાની આશા જીવંત રાખી શકે તેમ છે. જ્યારે કોલકાતા બેંગ્લોરને હરાવીને 12 મેચોમાંથી 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે.
કોલકત્તાનો પ્લે ઓફમાં સમાવેશ નિશ્ચિત છે પણ કેપ્ટન ગંભીરની ઈચ્છા તેઓની સ્થિતિ હજુ વધુ મજબુત બનવાની છે. મુંબઇ અને કોલકાતા વચ્ચે ટોપ પર રહેવાની સ્પર્ધા છે. કોલકાતાએ સતત બે હાર પછી બેંગ્લોરને 6 વિકેટે હરાવીને પુનઃ ટ્રેક મેળવ્યો છે. બેંગ્લોર સામે જીત મેળવવા દરમ્યાન કોલકાતાએ એક તબક્કે માત્ર 6 ઓવરોમાં વિના વિકેટે 105 રન કર્યા હતા.