ચીને પાકિસ્તાનને મોટો ઝાટકો આપતા સ્પષ્ટ કહી દીધુ છે કે તે કાશ્મીર મુદ્દા પર કોઇ પણ પ્રકારની દખલગીરી કરશે નહીં. ચીને સ્પષ્ટ કહ્યુ કે કાશ્મીર ભારત-પાકિસ્તાન વચ્ચેનો પારસ્પરિક મુદ્દો છે જે બંને દેશ પરસ્પર વાતચીત કરીને ઉકેલે. ચીનના વિદેશ મંત્રાલયે ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે તેઓ ચીન-પાકિસ્તાન ઇકોનૉમિક કૉરિડોરના કારણે જમ્મૂ -કાશ્મીર માટે પોતાના વલણમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરશે નહીં.
તો ચીને કહ્યુ કે ભારત- પાકિસ્તાન વચ્ચે કાશ્મીરનો મુદ્દો વર્ષો જૂનો છે અને બંને દેશ આ મુદ્દા પરસ્પર મધ્યસ્થતા દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરે. ચીનને આશા છે કે બંને દેશ આ મુદ્દા પર ચર્ચા આગળ વધારશે જેનાથી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા આવશે. જોકે ચીન સંબંધ સુધારવા માટે પોતાની તરફથી પ્રયાસો કરતુ રહેશે.
ભારત-પાકિસ્તાનના ઝગડામાં કોઇ દખલગીરી કરીશું નહીં : ચીન
કાશ્મીર મુદ્દા પર બંને દેશ પરસ્પર વાતચીત કરીને ઉકેલે