સ્વચ્છતા પર ભાર આપવા અને ખુલ્લામાં શૌચને બંધ કરવાના પ્રધાનમંત્રી નરેદ્ર મોદીના અભિયાનની પ્રશંસા કરવામાં આવી છે અને આ પ્રશંસા કરી છે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે.
મોદીના મુરીદ ગેટ્સ
બિલ ગેટ્સે કરી PM મોદીની પ્રશંસા
સ્વચ્છતા અભિયાનના પગલાની કરી પ્રશંસા
માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે એકવાર ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. એક બ્લોગમાં ગેટ્સે લખ્યું છે કે પાછલા ત્રણ વર્ષોમાં સ્વચ્છતા અને ખુલ્લામાં શૌચને લઇને મોદી તરફથી ઉઠાવાવમાં આવેલું પગલું પ્રશસનીય છે. બિલ ગેટ્સે પોતાના બ્લોગમાં વધુમાં લખ્યું છે કે પીએમ મોદીએ આ સમસ્યાને ઉઠાવી છે. જેના વિશે લોકો વિચારવાનું પસંદ પણ નથી કરતા.
જન સ્વાસ્થ્યને લઇને સાહસિક ટિપ્પણી કરી
બિલ ગેટ્સે લખ્યું છે કે પાછલા ત્રણ વર્ષમાં પીએમએ જન સ્વાસ્થ્યને લઇને સાહસિક ટિપ્પણી કરી છે. જે આજ સુધી કોઇ ચૂંટાયેલા સભ્યો બોલતા સાંભળ્યા છે. હવે તેની અસર જોવા મળી છે. ગેટ્સે મોદીની પ્રશંસામાં કહ્યું કે.. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે પોતાના સંબોધનમાં આ અંગે વાત કરી હતી.. બિલ ગેટ્સે પોતાના સંબોધનમાં મોદીના ભાષણના કેટલાક અંશ પણ મુક્યા છે.
કોઇ મોટા નેતાએ મુદ્દાને ઉઠાવ્યો નથી
ભાષણ જ નથી આપ્યું કામ પણ કર્યું છે
ગેટ્સે લખ્યું છે કે આજ સુધી કોઇ અન્ય મોટા નેતાએ આ પ્રકારના મુદ્દાને ઉઠાવ્યો નથી. મોદીએ માત્ર ભાષણ નથી આપ્યું પરંતુ તેના પર કામ પણ કર્યું છે. પીએમએ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ 2019 સુધી લગભગ 7.5 કરોડ શૌચાલય બનાવવાનું છે અને તેના પર સતત કામ ચાલી રહ્યું છે.
ભારત સરકાર સતત સ્વચ્છતાના મુદ્દા પર ધ્યાન આપી રહી છે. પીએમ મોદીના નેતૃત્વમાં સતત ખુલ્લામાં શૌચને લઇને તેજ અભિયાન છેડયું હતું.