ચીની સરકારી મીડિયાએ ભારતને ચેતવણી આપતા જણાવ્યું હતુ કે જો ભારત દલાઇ લામા કાર્ડ રમવાનું ચાલુ રાખશે તો તેની ભારે કિંમત ચૂકાવવી પડશે. આ સાથે અખબારે ચીન દ્ધારા અરુણાચલપ્રદેશના છ સ્થળોના નામ રાખવા પર ભારતની પ્રતિક્રિયાને બકવાસ ગણાવી ફગાવી દીધી હતી.
સરકારી ગ્લોબલ ટાઇમ્સમાં લખાયેલા એક લેખમાં કહેવામાં આવ્યુ છે કે ભારતે એ વાત પર ગંભીરતાથી વિચારવું જોઇએ કે ચીને શા માટે આ વખતે દક્ષિણ તિબ્બતના સ્થળોના સતાવાર નામની જાહેરાત કરી છે. તેમાં લખવામાં આવ્યું છે કે દલાઇ લામા કાર્ડ રમવું ભારત માટે કયારેય ફળદાયી રહ્યું નથી. જો ભારત આ ખેલ ચાલુ રાખશે તો ભારતે તેની ભારે કિંમત ચૂકાવવી પડશે.