શ્રમ પ્રધાન બંડારુ દત્તાત્રેયે ગુરુવારે જણાવ્યું કે નાણાં મંત્રાલયે નાણાંકીય વર્ષ 2016-17 માટે ઈપીએફ પર 8.65 ટકા વ્યાજ દરને મંજૂરી આપી દીધી છે. તેનાથી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના ચાર કરોડથી વધારે ખાતાધારકોના ખાતામાં વ્યાજની રકમ જમા કરવામાં આવશે.
ઈપીએફઓ વિશે નિર્ણય લેનારી મુખ્ય બોડી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટસ્ટ્રીઝે ગત વર્ષે ડિસેમ્બરમાં ઈપીએફઓ પર 8.65 ટકા વ્યાજ દર જાહેર કર્યો હતો. જોકે તે ગત વર્ષની સરખામણીમાં ઓછો છે.