યોગી સરકારે અખિલેશ સરકારના ડ્રીમ પ્રોજેક્ટ રહેલા આગરા - લખનઉ એકસપ્રેસ વેને લઇને તપાસના આદેશ આપ્યા છે. યુપી સરકારે આ અંગે 10 જીલ્લાના કલેક્ટરને પત્ર લખ્યો છે. અને તમામને આદેશ આપ્યા છે કે તે છેલ્લા 18 મહિનામાં થયેલા જમીનના સોદાને લઇને દરેક મામલાની તપાસ કરે.
આ તપાસના દાયરામાં એક્સપ્રેસ વેના કિનારા પાસેના 230 ગામ આવશે. આરોપ એ પણ છે કે કેટલાક લોકોને ફાયદો પહોંચાડવા માટે તેમની ખેતી લાયક જમીનને રહેણાક જમીનની શ્રેણીમાં દર્શાવવામાં આવી હતી. જેથી તેવા લોકોને સરકાર પાસેથી વધુ વળતર મળી શકે. આ સર્વેને લઇને સરકારી સર્વે એજન્સી RITESનો સંપર્ક કર્યો છે.
તમને જણાવી દઇએ કે લખનઉ આગરા વચ્ચેનો છ લેન વાળો એક્સપ્રેસ વે 302 કિલોમીટર લાંબો છે. જેમાં ઉન્નાવ પાસે એક રનવે પણ બનાવાયો છે. ઇમરજન્સીમાં લડાકુ વિમાન પણ ઉતરાણ કરી શકે છે. અને એકસપ્રેસ વે પરિયોજના માટે 10 જિલ્લાના 232 ગામની 3500 હે~ટર જમીન 30 હજાર 456 ખેડૂતોની સહમતિથી ખરીદવામાં આવી હતી.