મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લામાં રહેતી એક જનજાતિના લોકોએ કહ્યું છે કે જ્યારે તેઓ સેનાને વિરોધીઓની આગળ અસહાય જુએ છે તો ઘણી તકલીફ થાય છે. કશ્મીરમાં હાલ પથ્થરબાજો અને સુરક્ષા બળો વચ્ચે જે પરિસ્થિતિ સર્જાઇ છે. તેને ધ્યાનમાં રાખીને ઝાબુઆની એક ખાસ જાતિનું કહેવું છે કે સેનાએ પથ્થરનો બદલો પથ્થરથી આપવો જોઇએ.
તેમણે પથ્થરબાજો પર ગોફાનથી હુમલો કરવાનું કહ્યું છે. જેને ચામડાની બન્ને બાજુ દોરડુ બાંધીને ચામડામાં પથ્થર મુકીને હવામાં ફેંકવામાં આવે છે. આ જાતિની ઇચ્છા છે કે આર્મી પણ ગોફાનનો ઉપયોગ કરે અને એટલે જ તેમણે પીએમ મોદીને એક પત્ર પણ લખ્યો છે.