નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાએ મંગળવારે પોતાના મશહુર વિઝા કાર્યક્રમ 457ને રદ કરી દિધો છે. આ કારણે ભારતીય કામદારોને મોટો ફટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયામાં 95 હજારથી વધારે વિદેશી કામદાર આ વીઝાના ઉપયોગથી કામ કરી રહ્યા છે જેમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની છે. ઓસ્ટ્રેલિયાએ આ કદમ દેશમાં વઘતી બેરોજગારીનો ખાત્મો કરવામાં લેવામાં આવ્યું છે. આની જગ્યાએ હવે નવો વિઝા કાર્યક્રમ લાવવામાં આવશે.
મીડિયા દ્વારા મળતી માહિતી અનુસાર વિઝા 457 કાર્યક્રમને રદ કરવાની ઘોષણા કરતી વખતે ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી મૈક્લમ ટર્નબુલે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં નોકરીઓમાં પહેલી પ્રાથમિકતા સ્થાનિક લોકોને દેવામાં આવશે એટલે કે ઓસ્ટ્રેલિયાના લોકોને મળશે. આ માટે અમે વિઝા 457ને નાબુદ કરીએ છીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પોતાના લોકોને નોકરી દેવા માટે ‘ઓસ્ટ્રેલિયન ફ્રસ્ટ’ ની નવી નીતિ અપનાવવામાં આવી રહી છે.
આ વિઝા 457એ ઓસ્ટ્રેલિયાનો એક મશહુર વિઝા કાર્યક્રમ છે જેમાં કંપનીઓને કુશળ કારદારમાં વિદેશી કામદારોને 4 વર્ષ સુધી કામ પર રાખવાની અનુમતિ છે. આ વિઝા કાર્યક્રમનો સૌથી વધુ ઉપયોગ ભારતીયો કરે છે. ત્યાર બાદ બ્રિટેન અને ચીનનો નંબર આવે છે. ઓસ્ટ્રેલિયામાં અંદાજીત આ વિઝા કાર્યક્રમ પર 95 હજારથી વધુ ઓસ્ટ્રેલિયામાં કામ કરી રહ્યા છે.
હમણાં જ ભારત પ્રવાસે આવેલ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મૈલ્કમ ટર્નબુલે આતંકવાદ શિક્ષા સુરક્ષા ઉર્જા અને રક્ષા ક્ષેત્રમાં સહયોગ આપવા પર વાતચીત કરી હતી. આ દરમિયાન બન્ને દેશો વચ્ચે કુલ 6 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.