આજે છે રામ નવમી. ચૈત્ર માસ પ્રતિપદાથી લઈને નવમી સુધી નવરાત્રી ઉજવાય છે. ચૈત્ર માસની નવમી તિથિને શ્રીરામ નવમી તરીકે ઉજવાય છે. અસુરોનો સંહાર કરવા માટે ભગવાન વિષ્ણુએ રામ રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો અને જીવનમાં મર્યાદાનુ પાલન કરતા મર્યાદા પુરૂષોત્તમ તરીકે ઓળખાયા. આજે પણ મર્યાદા પુરૂષોત્તમ રામનો જન્મોત્સવને ધૂમધામથી ઉજવાય છે પણ તેમના આદર્શોને જીવનમાં નથી ઉતારવામાં આવતા. અયોધ્યાના રાજકુમાર હોવા છતા ભગવાન રામે પોતાના પિતાના વચનોને પૂરા કરવા માટે સંપૂર્ણ વૈભવને ત્યાગી 14 વર્ષને માટે વનમાં જતા રહ્યા હતા.
આજે રામના જન્મોત્સવની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા રામ મંદિરે રામના જન્મોત્સવ નિમિતે મંદિરમાં ખાસ આયોજન કરાયું છે. વહેલી સવારથી મોટી સંખ્યમાં ભક્તો ઉમટી પડયા હતા. સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. 12 વાગે રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. અન્નકૂટ સાથે વિવિધ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.આ જન્મોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે.