આતંકવાદ કરતા પણ વધુ ખતરનાક છે પ્રેમ જાણીને નવાઈ લાગી હશે પરંતુ વાત સાચી છે. એક સર્વેમાં એવુ ચોંકાવનારુ તારણ આવ્યુ છે કે ભારતમા આતંકવાદી હુમલામાં જેટલા મોત થાય છે તેનાથી 6 ગણા મોત પ્રેમ પ્રકરણમાં થાય છે.
ભારતમા મોત માટે જવાબદાર છે પ્રેમ. આવુ સાંભળતા જ કોઈ ચોંકી ઉઠે પરંતુ એક સર્વેના તારણ સાંભળીને તમે પણ ચોંકી જશો. છેલ્લા 15 વર્ષની વાત કરીએ તો 2001 થી 2015 સુધીમાં પ્રેમમાં નિષ્ફળ જનારા 79 હજાર 189 લોકો લગાવી ચૂક્યા છે મોતને ગળે. જયારે સામે પક્ષે માત્ર 20 હાજર લોકોના મોત થયા આતંકી પ્રવૃતિને કારણે.
મોત માટે જવાબદાર પ્રેમ
79 હજાર 189 નિષ્ફળ પ્રેમીના મોત
આતંકી ઘટનાઓથી 20 હજાર લોકોના મોત
એક અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે ભારતમાં છેલ્લા 15 વર્ષમાં અપહરણના 2.6 લાખ કેસ થયા છે જેમા લગ્ન માટે મહિલાઓનું અપહરણ કરવામાં આવ્યુ હોય. તો બીજી તરફ ભારતમાં રોજની 7 હત્યા 14 આત્મહત્યા અને 47 જેટલા અપહરણ માટે એકતરફી પ્રેમ અને પરિવારનો વિરોધ જવાબદાર છે.
મોત માટે જવાબદાર પ્રેમ
છેલ્લા 15 વર્ષમાં અપહરણના 2.6 લાખ કેસ
દરરોજ 7 હત્યા 14 આત્મહત્યા 47 અપહરણ
આ તમામ માટે એકતરફી પ્રેમ જવાબદાર
ભારતમાં પ્રેમ પ્રકરણમાં મોત થયા હોય તેવા રાજ્યોમાં યુપી મહારાષ્ટ્ર તમિલનાડુ અને મધ્યપ્રદેશ મુખ્ય છે. તો પ્રેમ પ્રકરણથી આત્મહત્યા કરી હોય તેવા રાજયમાં પશ્ચિમ બંગાળ અગ્રેસર છે.
મોત માટે જવાબદાર પ્રેમ
પ્રેમપ્રકરણથી આ રાજ્યોમાં વધુ મોત
યુપી મહારાષ્ટ્ર તમિલનાડુ મધ્યપ્રદેશ
પ્રેમ પ્રકરણથી આત્મહત્યામાં પશ્ચિમ બંગાળ અગ્રેસર
ભારતમા આતંકી હુમલાની ઘટનાને વારંવાર વખોડવામાં આવે છે પરંતુ પ્રેમ પ્રકરણના મામલે મોત અને આત્મહત્યાના આ આંકડા કંઈક જુદો જ ઈશારો કરે છે. એટલે એકતરફી પ્રેમમા પાગલ યુવક-યુવતીઓ અને તેના વાલીઓ ચેતી જાય