મા આદ્યશક્તિની આરાધનાનો રૂડો અવસર એટલે ચૈત્રી નવરાત્રી. નવરાત્રીના પાંચમા દિવસે આપ કરો સ્કંદ માતાજીની પૂજા-અર્ચના અને આરાધના સ્કંદ માતાજીની ઉપાસના માટે શ્રેષ્ઠ છે નવરાત્રીનો પાંચમો દિવસ. ત્યારે કેવું છે સ્કંદ માતાજીનું સ્વરૂપ ? અને કેવી રીતે આપ પણ પ્રસન્ન કરશો સ્કંદ માતાજીને ? આવો આપને જણાવીએ.
નવરાત્રીના પાંચમા દિવસનું જાણો મહત્વ
પાંચમા નોરતે કરો સ્કંદ માતાજીની ઉપાસના
આદ્યશક્તિના આ સ્વરૂપનો જાણો મહિમા
ચૈત્રી નવરાત્રીના પાંચમા દિવસે થાય છે સ્કંદ માતાજીની ઉપાસના.. સ્કંદનો અર્થ થાય છે. જ્યારે છ સમુહ ભેગા થાય ત્યારે તેને કહેવાય છે સ્કંદ. સ્કંદ સ્વરૂપ જોડાયેલું છે ભગવાન કાર્તિકેય સાથે. જ્યારે કાર્તિકેયનો જન્મ થયો. ત્યારે રાક્ષસો દ્વારા કાર્તિકેયનું કરાયું હતું હરણ. ત્યારે દેવતાઓ દ્વારા કાર્તિકેયને બચાવવામાં આવ્યા અને છ દેવી દ્વારા કરાયું કાર્તિકેયનું પાલન. આ સમયે નામ સ્કંદ અને સ્વરૂપ છ બન્યા.. પાર્વતીજીએ ખોળામાં બેસાડયા તે સ્વરૂપને સ્કંદ તરીકે ઓળખાય છે.
કેવું છે સ્કંદ માતાજીનું સ્વરૂપ ?
સ્કંદ માતાજીના સ્વરૂપનું વર્ણન
માતાજીનું આ સ્વરૂપ ચારભૂજાધારી છે. આ ચારભૂજામાં કમળપુષ્પ અને વરમુદ્રાનો થાય છે સમાવેશ. માતાજીનો વર્ણ પૂર્ણતઃ શુભ્ર છે. માતાજી હંમેશા કમળના આસન પર જ આરૂઢ રહે છે. જેના કારણે સ્કંદ માતાજીને પદ્માસના દેવી તરીકે પણ ઓળખાય છે જ્યારે સિંહ સ્કંદ માતાજીનું વાહન છે.
શું છે પાંચમા નોરતાનું મહત્વ ?
પાંચમા નોરતે શું પ્રાપ્ત થશે ?
જે ભક્ત ચૈત્રી નવરાત્રીમાં ઉપાસના કરે છે તેવા સાધકોનું ચક્ર સમસ્ત બાહ્ય ક્રિયાઓ અને ચિત્તવૃત્તિઓને જાગૃત કરે છે. એ વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપની તરફ અને વધુને વધુ અગ્રેસર થતું જાય છે. સાધકનું મન સમસ્ત લૌકિક સાંસારિક માયાવી બંધનોથી વિમુ~ત થઈને સ્કંદ માતાજીમાં તલ્લીન બની જાય છે. આ સમયે ખૂબ જ સાવધાનીથી સાધકે તપસ્યા અને ઉપાસના કરવાની હોય છે. સ્કંદ માતાજીની ઉપાસનાથી મૃત્યુલોકમાં જ સાધકને પરમ શાંતિ અને સુખનો થાય છે અહેસાસ.
સ્કંદ માતાજીના પૂજનથી શો લાભ થાય ?
સ્કંદ માતાજીની પૂજા કેવી રીતે કરશો ?
શું અર્પણ કરશો સ્કંદ માતાજીને ?
ચૈત્રી નવરાત્રીના પાંચમા દિવસે જ્યારે આપ સ્કંદ માતાજીની પૂજા કરતા હોવ છો ત્યારે ખાસ કરીને. સાધકને તેનું ચિત્ત ઉપાસનામાં જ હોવું જરૂરી છે. જેના ફળ સ્વરૂપે તે મનવાંચ્છિત પુત્રની કરી શકે છે પ્રાપ્તિ. તેમજ સંતાનનું પણ થાય છે રક્ષણ. આ ઉપરાંત લાલ રંગના પુષ્પ પ્રિય હોવાથી સ્કંદ માતાજીને ગુલાબના પુષ્પ પણ અર્પણ કરી શકાય. તગર ધૂપ દૂધપાક માતાજીને નૈવેદ્યમાં અર્પણ કરવો જોઈએ તેમજ હવનમાં જવ તલ ઘી અને ભાતની આહૂતિ અર્પણ કરવી જોઈએ.