ઉત્તર પ્રદેશમાં સત્તામાં આવવાની સાથે જ યોગી આદિત્યનાથ સરકાર એક્શનમાં આવી ગઇ છે અને એવા નિર્ણયો લઇ રહી છે જેનાથી વિરોધીઓની પણ ઊંઘ હરામ થઇ રહી છે.
યોગીના માસ્ટરસ્ટ્રોક
યોગી સરકાર મહત્વના નિર્ણય લઇ રહી છે
યોગીની જાહેરાતો જનતાને રાહત પહોંચાડશે
યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બન્યા તેને હજુ 10 દિવસ પૂરા નથી થયા પરંતુ તેની સરકાર એક પછી એક મહત્વના નિર્ણય લઇ રહી છે. એંટી રોમિયો સ્કવોડ અને ગેરકાયદે કતલખાના પર કાર્યવાહી કરવા સિવાય સીએમ યોગીએ એવી જાહેરાત કરી છે કે જે રાજ્યની જનતાને રાહત પહોચાડવાની છે. યોગી સરકારની આ જાહેરાત વિરોધીઓને પણ હેરાન કરી શકે છે.
અઢી મહિનામાં રસ્તાઓને ખાડા મુક્ત કરવા
સીએમ યોગીએ રાજ્યના રસ્તાઓને અઢી મહિનામાં ખાડાઓ મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. ગોરખપુરમાં ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરતા તેમણે કહ્યું કે પ્રદેશના રસ્તાઓ 15 જૂન સુધી ખાડા મુક્ત થવી જોઇએ.
શ્રદ્ધાળુઓની આર્થિક ગ્રાન્ટ વધારવામાં આવી
દુર્લભ કૈલાશ માનસરોવર યાત્રા પર જતા શ્રદ્ધાળુઓ માટે યોગી સરકારે આર્થિક ગ્રાન્ટ 50 હજાર રૂપિયા વધારીને લાખ કરી દીધા છે. તીર્થ યાત્રિકોની પરેશાનીઓ અને સમસ્યાઓને ધ્યાનમાં રાખીને દિલ્લીની આસપાસ તમામ રાજ્યમાં કૈલાશ માનસરોવર ભવનનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો છે.
પાર્ટી નેતા અને જનપ્રતિનિધિ ઠેકેદાર ના બને
સીએમ યોગીએ કહ્યું કે પાર્ટીના કોઇ નેતા કે જનપ્રતિનિધિ કોઇ પણ ઠેકેદારીનું કામ ના લે. તેના બદલે તેમને નિરીક્ષણ કરવું જોઇએ અને કોઇપણ પ્રકારની ગડબડ લાગે તો સૂચના આપે. જેથી દોષિતોની વિરૂદ્ધ તરત કાર્યવાહી કરી શકે.
મુસલમાનોને હજ સબસીડી છોડવાની અપીલ
ઉત્તર પ્રદેશ સરકારમાં મુસ્લિમ મંત્રી મોહસીન રઝાએ ધનીક મુસલમાનોથી હજ સબસીડી છોડવાની અપીલ કરી છે. યોગી સરકારમાં મંત્રી મોહસીન રઝાએ કહ્યું કે તેઓ અમીર મુસ્લિમ પરિવારોથી આગ્રહ કરે છે કે તેઓ પોતાની હજ સબસીડી છોડી દે જેનાથી સબકા સાથ સબકા વિકાસનો મહત્વનો ભાગ બને.
યૂપીના એક પણ વ્યક્તિને ભૂખ્યા નહી સુવા દે
સીએમ યોગીએ કહ્યું કે જે ગરીબોને કોઇ સાંભળતુ નથી. તેના માટે કામ કરવાનું છે. આ ભાજપની સરકાર યૂપીના એક પણ વ્યક્તિને ભૂખ્યા નહી સુવા દે. ક્યાં પણ ભૂખ તે બિમારીના કારણે કોઇ વ્યક્તિની મૃત્યુ થઇ તો સંબંધિત જીલ્લાધિકારી અને CMOને દંડ કરવામાં આવશે.
બજારોમાં ફરી જનતાનો વિશ્વાસ જીતે પોલીસ
સીએમ યોગીએ પોલીસને નિર્દેશ આપ્યા છે કે તેઓ વ્યસ્ત બજારોમાં દરે દિવસે દોઢથી બે કિમી ચાલીને ફરીને જનતામાં વિશ્વાસ પેદા કરે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે પ્રદેશમાં કાયદાનું રાજ કાયમ કરવું પ્રથમ પ્રાથમિકતા હોવી જોઇએ..