ગોરખપુરઃ યોગી આદિત્યનાથના મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ પ્રથમવાર તેમના સંસદીય ક્ષેત્ર ગોરખપુર પંહોચ્યા. CM ના સ્વાગત માટે ગોરખપુરને ભવ્ય રીતે સજાવી દેવામાં આવ્યું હતું. યોગી આદિત્યનાથ એરપોર્ટથી સીધા મહારાણા પ્રતાપ ઇન્ટર કોલેજ પંહોચ્યા હતા. ત્યાં તેમણે સભા સંબોધી હતી જેમાં તેમણે કહ્યું કે માનસરોવરની યાત્રામાં જનાર શ્રદ્ધાળુઓને સરકાર તરફથી 1 લાખ રૂપીયની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી.
યોગીએ કહ્યું હતું કે સૌનો વિકાસ કરીશું ઉત્તર પ્રદેશની સરકાર સૌના સાથ સૌના વિકાસની નીતિ પર ચાલશે. મુખ્યમંત્રીનું પદ કંઇક કરી બતાવવા અને કર્તવ્યનું પાલન કરવા માટે મળ્યું છે. જીત સાથે જ યુપીની જનતાએ મોટી જવાબદારી આપી છે. 15 વર્ષથી વિકાસથી વંચિત યુપી માટે હવે કામ કરવું છે. ગોરખપુરનું આ સ્વાગત એ યુપીની 22 કરોડની જનતાનું છે.
યોગી આદિત્યનાથ 12 ગાડીઓના કાફલા સાથે નિકળ્યા હતા રસ્તા પર લોકોનો જમાવડો હતો અને યોગી-યોગીના નારા લાગી રહ્યા હતા. યોગી ગોરખપુરના મહારાણા પ્રતાપ ઇન્ટર કોલેજ પહોંચ્યા હતા. કાર્યકર્તાઓએ તેમનુ માળા પહેરાવીને સ્વાગત કર્યુ હતું.