નાણાકીય ખરડો પસાર થવાની સાથે જ લોકસભામાં સામાન્ય બજેટ 2017-18 સાથે જોડાયેલા તમામ કામો સરકારે પૂર્ણ કરી દીધા છે. બજેટમાં સૂચિત કરાયેલ ટેકસ સંબંધિત જોગવાઈઓ હવે 1 એપ્રિલથી લાગુ થશે. વાર્ષિક 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોએ 10 ટકાની બદલે હવે 5 ટકા જ ટેકસ ભરવો પડશે. જેના કારણે કરદાતાઓને 12 500 રૂપિયા સુધીની બચત થશે.
બીજી તરફ 1 કરોડ રૂપિયાથી વધુની આવક ધરાવતા લોકોને સરચાર્જ અને સેસ સહિત કુલ રૂપિયા 14 806 સુધીની બચત થશે. ટેકસ રિટર્ન રિવીઝનની સમયસીમા હવે 2 વર્ષના બદલે 1 વર્ષની જ રહેશે. નાણાકીય વર્ષ પૂર્ણ થયા બાદ જ આ સમય મર્યાદા લાગુ થશે.