સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પાંચ સહયોગી બેંકોને મર્જર કર્યા બાદ તેની અંદાજે 47 ટકા બ્રાન્ચ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પાંચ સહયોગી બેંકોનું મર્જર 1 એપ્રિલથી શરૂ થશે. એસબીઆઈએ આ ઉપરાંત ત્રણ બેંકની હેડ ઓફિસ પણ ખત્મ કરવાનો નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું કે સહયોગી બેંકોની પાંચ હેડ ઓફિસમાંથી માત્ર બે રહેશે. બાકી ત્રણ બેંકોની હેડ ઓફિસ 27 ઝોનલ ઓફિસ 81 રિજનલ ઓફિસ અને 11 નેટવર્ક ઓફિસને બંધ કરાશે. તેની પ્રક્રિયા 24 એપ્રિલથી શરૂ થશે.
એસબીઆઈમાં સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર સ્ટેટ બેંક ઓફ મૈસૂર સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર સ્ટેટ બેંક ઓફ પટિયાલા અને સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદનું મર્જર થશે. તે ઉપરાંત ભારતીય મહિલા બેંકનું પણ એસબીઆઈમાં વિલીનીકરણ થશે. કેન્દ્રીય કેબિનેટમાં ગત અઠવાડિયે તેને લીલી ઝંડી આપવામાં આવી હતી.