દેવગઠ બારિયાની સગીરા સાથે દુષ્કર્મને લઇને કોંગ્રેસના ધારાસભ્યએ નિવેદન આપ્યું કે ભાજપની સરકાર બળાત્કારી છે. દારૂના નામે જ સમગ્ર મામલો થયો છે. જ્યાં સુધી દારૂ બંધ નહીં થાય ત્યાં સુધી દુષ્કર્મ મટવાના નથી. ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના નાનકડાં ગામે બે કિશોરીઓ પર દુષ્કર્મ થયું હતું. જેમાં બુટલેગરોએ બંને કિશોરીઓ સહિત તેમના પિતાનું અપહરણ કરી પિતાની હાજરીમાં બુટલેગરોએ દુષ્કર્મ આચરી તેમને અવારૂં જગ્યા પર ફેંકી દેવામાં આવ્યા હતા. જે બાદ પરિવારજનોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અગાઉ 10 જેટલી જુદી-જુદી ટીમો બનાવી 9 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી.
કોંગ્રેસનાં ધારાસભ્ય ચંદ્રિકાબહેનનું નિવેદન
દેવગઠ બારિયાની સગીરા સાથે દુષ્કર્મને લઈને નિવેદન
13 અને 15 વર્ષની સગીરા પર પિતાની સામે જ ગાડીમાં દુષ્કર્મ