સુપ્રીમ કોર્ટે રામ મંદિર મામલે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું છે કે બન્ને પક્ષો એકબીજા સાથે વાતચીત કરીને મામલાનો ઉકેલ લાવે અને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટના જજ મધ્યસ્થતા કરવા પણ તૈયાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રામ મંદિરનો મામલો ધર્મ અને આસ્થા સાથે જોડાયેલો છે.
આ મામલે કોર્ટની ટિપ્પણી મામલે જાણકારી આપતા અરજીકર્તા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટના જજ આ મામલામાં મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે. કોર્ટે બન્ને પક્ષને વાતચીત કરવા માટે આવનારા શુક્રવાર સુધી સમય આપ્યો છે.
ઓયોધ્યામાં રામ મંદિર મુદ્દે SCનું નિવેદન
બન્ને પક્ષ મળીને લાવે સમસ્યાનો ઉકેલ
જરૂર પડશે તો મધ્યસ્થતા કરવા તૈયાર SC
અયોધ્યા વિવાદ ભારતના હિન્દૂ અને મુસ્લિમ સમુદાય વચ્ચે તણાવનો મુદ્દો રહ્યો છે. અને આ મુદ્દાએ દેશની રાજનીતિ પર પણ ઘણી જ અસર કરી છે. પાછલી પાંચ સદીઓથી ચાલી રહેલો આ વિવાદ શું છે.
ભારતમાં અયોધ્યા વિવાદ હંમેશા ચર્ચામાં રહ્યો છે અને આ મુદ્દાને લઇને રાજકારણ ગરમાયેલુ રહે છે. અયોધ્યાની આ વિવાદિત જમીનને લઇને વિવાદ વર્ષો નહી પણ સદીઓથી ચાલી રહ્યો છે.
રામના નામે
વર્ષ 1528
મસ્જીદનું કરાયું નિર્માણ
આ સ્થળને રામનું જન્મસ્થળ માનતા હિન્દૂઓ
અયોધ્યામાં એક એવા વિસ્તારમાં મસ્જીદનું નિર્માણ કરવામાં આવ્યું. જેને કેટલાક હિન્દૂ પોતાના આરાધ્ય દેવતા રામનો જન્મસ્થળ માનતા હતા.
વર્ષ 1859
પ્રથમવાર સાંપ્રદાયિક તોફાનો થયા
વર્ષ 1859માં પ્રથમ વખત આ સ્થળ પર મંદિર અને મસ્જીદ મુદ્દાને લઇને સાંપ્રદાયિક તોફાનો થયા
વર્ષ 1859
વિવાદિત સ્થળ પર બનાવાયો વાડો
પરિસરના કર્યા બે ભાગ
બન્ને ધર્મોને પ્રાર્થના માટે મંજૂરી અપાઇ
બ્રિતાની શાસકોએ આ વિવાદિત સ્થળ પર વાડો બનાવી પરિસરમાં બે ભાગ બનાવી દીધા અને બન્ને ભાગમાં મુસલમાનો અને હિન્દૂઓને પ્રાર્થના કરવાની પરવાનગી આપી દીધી
વર્ષ 1949
રામની મૂર્તિ મસ્જીદમાંથી મળી આવી
વિવાદિત સ્થળ પર તાળુ મારવામાં આવ્યું
ભગવાન રામની મૂર્તિઓ મસ્જીદમાંથી મળી આવી અને તેના પછી કોર્ટમાં આ મુદ્દે કેસ કરવામાં આવ્યો. સરકારે આ સ્થળને વિવાદિત ઘોષિત કરીને તાળુ મારી દીધું
વર્ષ 1984
રામ મંદિર માટે ખાસ સમિતિની રચના થઇ
સમિતિનું સુકાન એલ.કે. અડવાણીએ સંભાળ્યું
કેટલાક હિન્દૂઓએ વિશ્વ હિન્દૂ પરિષદના નેતૃત્વમાં આ સ્થળ પર રામ મંદિરનું નિર્માણ કરવા માટે સમિતિ બનાવી અને રામ મંદિર અભિયાનનું નેતૃત્વ ભાજપા પાર્ટીના પ્રમુખ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ સંભાળ્યું
વર્ષ 1992
6 ડિસેમ્બરે બાબરી મસ્જીદ ધ્વસ્ત કરાઇ
દેશભરમાં સાંપ્રદાયિક તોફાનો શરૂ થયા
તોફાનોમાં 2000થી વધુ લોકોના મોત થયા
વિશ્વ હિન્દૂ પરિષદ શિવ સેના અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ 6 ડિસેમ્બરે બાબરી મસ્જીદને ધ્વસ્ત કરી અને તેના પરિણામે દેશભરમાં સાંપ્રદાયિક તોફાનો શરૂ થઇ ગયા. અને આ તોફાનોમાં 2000થી વધુ લોકોના મોત થયા.
વર્ષ 2001
બાબરી મસ્જીદ વિધ્વંસની વરસી પર તણાવ
VHPએ મંદિર બનાવવાનો નિર્ણય ર્દઢ કર્યો
બાબરી મસ્જીદ વિધ્વંસની વરસી પર તણાવ વધુ વધી ગયો. અને વિશ્વ હિન્દૂ પરિષદે વિવાદિત સ્થળ પર મંદિરનું નિર્માણ કરવાના પોતાના સંકલ્પને ફરી ર્દઢ બનાવ્યો
માર્ચ 2002
15 માર્ચે રામ મંદિર નિર્માણ કાર્યની જાહેરાત કરાઇ
અયોધ્યામાં મોટી સંખ્યામાં હિન્દૂઓ જમા થયા
વિશ્વ હિન્દૂ પરિષદે 15 માર્ચથી રામ મંદિર નિર્માણ કાર્ય શરૂ કરવાની જાહેરાત કરી. મોટી સંખ્યામાં હિન્દૂ કાર્યકર્તા અયોધ્યામાં ભેગા થયા.
એપ્રિલ 2004
અડવાણીએ અસ્થાયી રામ મંદિરમાં પૂજા કરી
અડવાણીએ અયોધ્યામાં અસ્થાયી રામ મંદિરમાં પૂજા કરી અને કહ્યુ કે મંદિરનું નિર્માણ જરૂર કરવામાં આવશે.
19 માર્ચ 2007
રાહુલે આલાપ્યો રામ મંદિરનો રાગ
નહેરૂ-ગાંધીના પરિવારનો સભ્ય હોત તો
બાબરી મસ્જીદ ધ્વસ્ત ના થઇ હોત
રાહુલ ગાંધીએ ચૂંટણી સમયે રામ મંદિરનો રાગ આલાપતા કહ્યુ કે જો નહેરૂ-ગાંધી પરિવારનો કોઇ સભ્ય પ્રધાનમંત્રી હોત તો બાબરી મસ્જીદ ધ્વસ્ત ના થઇ હોત. જેના પછી વિવાદ થયો.
9 મે 2011
HCના નિર્ણય પર રોક લગાવાઇ
વિવાદિત જમીનનો મામલો SCમાં છે
હાઇકોર્ટના નિર્ણય પર રોક લગાવવામાં આવી. અને હવે આ સમગ્ર મામલો સુપ્રિમ કોર્ટમાં છે. સંઘ પ્રમુખ મોહન ભાગવતના રામ મંદિર મુદ્દેના નિવેદન બાદ ફરી વિવાદ થયો.
21 ડિસેમ્બર 2015
વિવાદિત જમીન પર બે ટ્રક ભરીન પથ્થરો ઉતારાયા
મહંત નૃત્ય ગોપાલદાસે કર્યુ ભૂમિ પૂજન
રામ મંદિરના નિર્માણ માટે વિવાદિત જમીન પર બે ટ્રક ભરીને પથ્થરો ઉતારવામાં આવ્યા છે. તો રામ જન્મ ભૂમિના અધ્યક્ષ મહંત નૃત્ય દાસે શિલાપૂજન કર્યું છે. જેના પછી ફરી આ વિવાદિત જમીનને લઇને વિવાદ ઊભો થયો છે.