દબંગ પોલીસ રૌફ જમાવવા નિર્દોષ પર અત્યાચાર કરવાનું ક્યારે બંધ કરશે ? આ વખતે પોલીસના અત્યાચારનો ભોગ બન્યા છે માંડવીમાં મૂજરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવનાર મજૂરો.બુટલેગરની ઝડપવા ગયેલી માંડવી પોલીસના હાથે બુટલેગરો તો ન લાગ્યા પરંતુ મજૂરી કામ કરી સૂતેલા મજૂરો લાગતા પોલીસે તેને નિર્દયતા પૂર્વક માર માર્યો.પોલીસના આતંકનો ભોગ બનેલા મજૂરોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બુટલેગરની શોધમા અંધ બનેલી માંડવી પોલીસે નિર્દોષ મજૂરોની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક આગેવાનોને થતાની સાથે જ આગેવાનો પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને બાદમાં મજૂરોને સરકારી હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.માડવી પોલીસના ત્રાસનો ભોગ નિર્દોષ મજૂર બન્યા હોવાની જાણ ધારાસભ્યને થતા મજૂરોની ખબર પૂછવા હોસ્પિટલે પહોચી ગયા હતા. સ્થાનિક લોકો તેમજ ધારા સભ્યોએ મજૂરો તરફી અને પોલીસ વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. પોલીસ એ હદે નિર્દય બની ગઈ હતી કે તેને 10માં બોર્ડની પરિક્ષા આપી રહેલ એક વિદ્યાર્થીને પણ ન છોડયો હતો. આમતો પોલીસનું કામ છે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું પણ અહી તો માડંવી પોલીસ જાતે ન્યાયધીશ અને જાતે સરકાર જેવું વલણ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે.