મણિપુરમાં નવી બનેલી ભાજપ સરકારને આજે બહુમતની પરક્ષામાંથી પસાર થવાનું છે. પરંતુ તેના પહેલા રાજ્યમાં ચાર મહિનાથી ચાલી રહેલી અગ્નિપરીક્ષા ખતમ થઇ ગઇ છે. યૂનાઇચેડ નગા કાઉંસિલે મોડી રાતથી મણિપુરની આર્થિક નાકાબંધી ખતમ કરી દીધી હતી.
આ નિર્ણય કેદ્ર રાજ્ય સરકાર અને નગા સંગઠનોની વચ્ચે લાંબી વાતચીત બાદ લેવામાં આવ્યો છે. રવિવારે વાતચીત પૂર્ણ થયા બાદ તમામ પક્ષોએ સાથે નિવેદન આપ્યું. નાકાબંધી પૂર્ણ થવાની ઘટનાને મુખ્યમંત્રી બિરેન સિંહની સફળતા તરીકે જોવામાં આવી રહી છે.