ઉત્તરાખંડના નવમાં મુખ્યમંત્રી તરીકે ત્રિવેન્દ્ર સિંહ રાવતે શપશ લીધા. પરેડ ગ્રાઉન્ડ પર શપશ સમારોહ યોજાયો. જેમાં ત્રિવેન્દ્ર રાવત સહિત તેમના મંત્રી મંડળના સભ્યોએ શપથ ગ્રહણ કર્યા. જેમાં કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં આવેલા 5 નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.
19 વર્ષ સુધી RSSના પ્રચારક રહેલા ત્રિવેન્દ્ર સિંહ બન્યા છે ઉત્તરાખંડના નવમા મુખ્યમંત્રી. રાજ્યપાલે મુખ્યમંત્રી કેબિનેટમંત્રીઓ અને રાજ્યમંત્રીઓને શપથ લેવડાવ્યા. શપથગ્રહણ સમારોહમાં પીએમ નરેદ્ર મોદી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા. શપથ સમારોહમાં સૌથી પહેલા ત્રિવેન્દ્રસિંહ રાવતે પદ અને ગોપનિયતાના શપથ લીધા.
મુખ્યમંત્રીને શપથ લેવડાવ્યા બાદ રાજ્યપાલે કેબિનેટ અને રાજ્યમંત્રીઓએ પણ શપથ લીધા ત્યારબાદ મદન કૌશિકે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. પ્રકાશ પંતે કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. તો સતપાલ મહારાજે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેવી જ રીતે હરકસિંહ રાવતે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તો ધનસિંહ રાવતે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. તો સુબોધ ઉનિયાલે પણ કેબિનેટમંત્રી તરીકે શપથ લીધા. તેવી જ રીતે ગદરપુર બેઠક પરથી જીતેલા અરવિંદ પાડેએ કેબિનેટમંત્રી તરીકે શપથ લીધા છે. કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા બાદ રેખા આર્યએ રાજ્યમંત્રી તરીકે શપથ
મંત્રીઓની શપથવિધિ
મદન કૌશિકે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
પ્રકાશ પંતે કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા
સતપાલ મહારાજે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
હરકસિંહ રાવતે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
ધનસિંહ રાવતે કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા
સુબોધ ઉનિયાલે કેબિનેટમંત્રી તરીકે શપથ લીધા
અરવિંદ પાડેએ કેબિનેટમંત્રી તરીકે શપથ લીધા
રેખા આર્યએ રાજ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા
દેહરાદુનમાં યોજાયેલા આ શપથ સમારોહમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ કેદ્રીય મંત્રી ઉમા ભારતી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત મનોહર લાલ ખટ્ટર સહિત અનેક ટોચના નેતાઓ હાજર રહ્યા. ઉલ્લેખનિય છે કે દેહરાદૂનમાં શુક્રવારે યોજાયેલી મીટિંગમાં ધર્મેદ્ર પ્રધાન જેપી નડ્ડા સહિત ભાજપના તમામ 57 ધારાસભ્યો હાજર હતા. આ દરમિયાન રાવતને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરાયા હતા. રાવતે દેહરાદૂનની દેહરાદૂનની ડોઈવાલા વિધાનસભા સીટથી તેમણે આ વખતે કોંગ્રેસના સીનિયર લીડર હીરા સિંહ બિષ્ટને 24 869 વોટથી હરાવ્યા છે. ત્રિવેદ્ર સિંહ રાવતના નામ પર ગુરુવારે દિલ્હીમાં મહોર લાગી હતી. ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી બન્યા બાદ તેમની જવાબદારીઓ ખૂબ જ વધી ગઈ છે અને લોકો પણ તેમની પાસે વિકાસની અપેક્ષા રાખી રહ્યા છે.