પંજાબમાં 10 વર્ષ બાદ કોંગ્રેસ પક્ષને પોતાના નેતૃત્વમાં જીત અપાવનાર અમરિન્દર સિંહે આજે મુખ્યમંત્રીના બીજી વખત શપથ લીધા હતા. શપશ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સામેલ રહ્યા હતા. શપથ વિધિના આ કાર્યક્રમમાં નવજોત સિંહ સિદ્ધુએ અમૃતસર ઈસ્ટથી બીજેપી ઉમેદવારને હરાવ્યા અને પ્રથમ વખત આ સીટથી ધારાસભ્ય બન્યા છે સિદ્ધુ.
અમરિન્દર સિંહ શપથ ગ્રહણ સમારોહમાં પંજાબના રાજ્યપાલ વી પી સિંહ બદનૌર રાજભવનમાં સિંહ અને તેના મંત્રીમંડળના સભ્યોને અમરિન્દર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુને શપથ લેવડાવ્યા હતા. પંજાબમાં કેપ્ટન અમરિન્દરના શપથ સમારોહમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ રાજ બબ્બર સહિત કોંગ્રેસના અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા.
- કેપ્ટન અમરિન્દર સિંહઃ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
- બ્રહ્મ મહિદ્રાઃ તેમણે આપ ઉમેદવારને પટિયાલાથી હરાવ્યા હતા
- નવજોત સિંહ સિદ્ધુઃ અમૃતસર ઈસ્ટથી બીજેપી ઉમેદવારને હરાવ્યા. પ્રથમ વખત આ સીટથી ધારાસભ્ય બન્યા છે સિદ્ધુ.
- મનપ્રીત બાદલઃ ભઠિંડાથી ધારાસભ્ય બનેલા મનપ્રીત બાદલ પૂર્વ સીએમ પ્રકાશ બાદલના ભત્રીજા છે.
- સાધુ સિંહ ધર્મસોતઃ નાભા સીટથી ધારાસભ્ય બનેલા સાધુ સિંહ મોટા દલિત નેતા છે.
- તૃપ્ત રાજેદ્ર બાજવાઃ ફેતહગઢ ચૂડિયા સીટથી તેઓ ધારાસભ્ય તરીકે વિજેતા થયા છે.
- રાણા ગુરજીત સિંહઃ કપૂરથલાથી વિજેતા બનેલા ગુરજીત સિંહ જાલંધરના સાસંદ પણ રહી ચૂયા છે. તેમણે અકાલી દળના ઉમેદવારને હાર આપી હતી.
- ચરણજીત સિંહ ચન્નીઃ એક વખત અપક્ષ ધારાસભ્ય રહી ચીકેલા ચરણજીત સિંહ દલીત નેતા છે. સતત બીજી વખત તેઓ કોંગ્રેસની સીટ પરથી વિજેતા બન્યા છે.
- અરૂણા ચૌધરીઃ સતત ત્રીજી વખત ધારાસભ્ય તરીકે દીનાનગર વિધાનસભામાંથી જીત્યા. રાજ્યમંત્રી તરીકે શપથ લીધા.
- રઝિયા સુલ્તાનાઃ મલેર કોટલા સીટ પરથી વિજેતા બનેલી રઝિયાએ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા.