તાજેતરમાં કચ્છ પ્રવાસન સમિતિની જીલ્લા આયોજન મંડળની બેઠક મળી. જેમાં કચ્છના પાંચ જેટલા પ્રવાસન સ્થળોને 16 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
જેમાં કચ્છમાં આવેલા કોમી એકતાના પ્રતિક સમાન હાજીપીર દરગાહ સમાવેશ કરવામાં નહિ આવતા લધુમતી સમાજ અને આસપાસના લોકોમાં નારાજગી જોવા મળી રહી હતી.