એક કા ડબલ સ્કીમ વર્ષોથી ચાલતી આવી છે અને હજી પણ ચાલી રહી છે જો કે આવી સ્કીમમાં છેતરપીંડી થવી સામાન્ય બાબત બની ગઈ છે. રોકાણ ઉપર વાર્ષિક 12 ટકા વ્યાજ મેળવો અથવા તો 5 વર્ષમાં ડબલ પૈસા લઇ જાવ તેવી લોભામણી જાહેરાતો કરીને ફાઈનાન્સ કંપની શરુ કરીને ઠગ દંપતિ સંખ્યાબંધ લોકોના કરોડો રૂપિયા લઇને રફુચક્કર થઇ ગયા હોવાની ફરિયાદ અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં સામે આવી છે.
પૈસા ડબલ કરી આપવાના બહાને દંપતિની છેતરપિંડી
રોકાણકારને 12 ટકા વ્યાજની લાલચ આપી
પાંચ વર્ષે ડબલની લોભામણી સ્કીમ..
રાજ મોરાલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ લિ. નામની કંપની ખોલીને કરી ઠગાઈ..
લોકો સાથે ઠગાઈ કરવાના ઈરાદા સાથે મોરાલ દંપતીએ પાંચ વર્ષે એક કા ડબલ અને વર્ષે ૧૨ ટકા વ્યાજની લોભામણી સ્કીમ લોકો સમક્ષ મૂકી હતી. આવી સ્કીમની લાલચમાં આવીને લોકોએ જીંદગીભરની બચત દંપતિની ફાઈનાન્સ કંપનીમાં મુકી હતી. જો કે સંખ્યાબંધ લોકોના કરોડો રૂપિયા આવી ગયા બાદ ઠગ દંપતિ રાતો રાત ઓફિસને તાળા મારીને ફરાર થઇ ગયુ છે. આ બાબતે શરૂવાતમાં શાહીબાહ પોલીસ સ્ટેશનમાં ૮૪ લાખની ફરિયાદ નોંધાયા બીજા જ દિવસે અન્ય ફરિયાદો મળી બે કરોડે આંક પહોચ્યો છે. અને આ આંક હજી પણ ખુબ મોટો જવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે. પોલીસે ઠગ દંપતીને ઝડપવા કવાયત હાથ ધરી છે.
લોકો સાથે ઠગાઈ કરેલ દંપતી લાપતા છે. ત્યારે શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે છેતરપીંડીનો ભોગ બનેલ લોકો જમાવડો કરી રહ્યા છે પોલીસે ઠગ દંપતીના ગાંધીનગર ખાતેના બંગલો ખાતે તપાસ કરવા ઉપરાંત તેમના નજીકના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.