ભારતમાં અનેક ગુનાઈત ઘટનાને અંજામ આપનાર D-ગેંગ હજૂ પણ ગુજરાતમાં સક્રિય હોવાનું સામે આવ્યું હતૂં. સૂત્રોના દાવા મુજબ મોરબીમાં વેપારી પાસેથી દાઉદના સાગરિતોએ કરોડોની વસુલી કરી છે.
આ સાથે જ D ગેંગના સાગરીતો અત્યાર સુધી 300થી 500 કરોડની ખંડણી ઉઘરાવી ચૂક્યા હોવાનો સુત્રોનો દાવો છે. મોરબી-વાંકાનેર રોડ પર આવેલી એક હોટલમાં D ગેંગના સાગરીતોએ રોકાણ કર્યુ હોવાનું પણ ઘટસ્ફોટ થયો હતો. જ્યારે એક ધારાસભ્ય પાસે D ગેંગની સમગ્ર વિગત હોવાનો પણ સૂત્રોએ દાવો કર્યો હતો.