ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. જેમાં નરેશ પટેલને મેનેજમેન્ટ ગુરૂની સાથે સીએમ પદના ઉમેદવાર ગણાવવામાં આવ્યા છે.
વાયરલ થયેલા વીડિયોને જોતા લાગે છે કે નરેશ પટેલને સીએમ બનવાના અભરખા જાગ્યા છે. ત્યારે આ મામલે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ પોસ્ટર કોણે બનાવ્યું અને કોણે વાયરલ કર્યું ? શું નરેશ પટેલે સમાજમાં પોતાનું કદ વધારવાનો પ્રયાસ કર્યો છે ? શું નરેશ પટેલ પાટીદારોના સહારે રાજનીતિમાં સક્રિય થવા માગે છે ? શું તેઓ ખરેખર સીએમ બનવા માગે છે કે પછી પોસ્ટર થકી કોઈ બીજી યોજના છે ? આ તમામ સવાલો વાયરલ થયેલા પોસ્ટર બાદ ઉઠી રહ્યા છે.