ભરૂચના દહેજમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી છે અને આગે એટલી તો વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે કે તેના પર કાબુ મેળવવા માટે 10થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોચી ગયા છે.
આ આગ વહેલી સવારે લાગી હતી. જો કે આ આગ શા માટે લાગી છે તેનું કારણ જાણી શકાયુ નથી. ત્યારે કંપનીની બાજુમાં આવેલા અંભેટા ગામ ખાલી કરાવવામાં આવ્યું છે. કંપનીમાં રહેલા સોલ્વન્ટના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે