8 નવેમ્બરે નોટબંધીની જાહેરાત બાદ રીઝર્વ બેંકે અંદાજે 90.1 ખરબ રૂપિયાની નવી નોટ ચલણમાં મુકી હતી. પરંતુ બજારમાં આ રકમ કરતા વધારે નવી નોટ ચલણમાં હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. બ્લૂમબર્ગના રીપોર્ટ અનુસાર સંસદીય સમિતિને સોંપવામા આવેલા આરબીઆઈના રીપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે 13 જાન્યુઆરી 2017 સુધીમાં 9.1 ટ્રિલિયન રૂપિયાની કિંમતની નવી નોટો ચલણમાં મુકવામાં આવી છે. પરંતુ લોકોએ આ રકમ ઉપરાંત 600 અરબ રૂપિયા(9 બિલિયન ડોલર) વધુ બેંકોમાંથી ઉપાડ કર્યો છે.
આરબીઆઈ દ્વારા બુઘવારે સંસદીય સમિતિ સમક્ષ જે રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતી. તેમાં આ વાત કહેવામાં આવી હતી. નિષ્ણાતોના મતે સામાન્ય રીતે આવું નથી થતું હોતું. કાયદાકીય રીતે સરક્યુલેશનમાં જેટલું ચલણ હોય તેના કરતા લોકો પાસે ઓછી કેશ હોવી જોઈએ. જો કે સ્પષ્ટ રીત આ અંગેની કોઈ માહિતી બહાર આવી નથી.
રીપોર્ટમાં જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્તમાનમાં સરક્યુલેશનમાં 177 ખરબ રૂપિયામાંથી 154 ખરબ રૂપિયા રદ્ કરી દીધા હતા. અને તેમણે કહ્યું કે આ નોટોને નવી નોટો સાથે બદલી નાંખવામાં આવશે. 9 નવેમ્બરથી 13 જાન્યુઆરીની વચ્ચે આરબીઆઈએ 55.3 ખરબ રૂપિયાની નવી નોટો છાપી હતી. અને તેમાંથી 25 અરબ 19 કરોડ 70 લાખ બેંક નોટો સરક્યુલેશનમાં મુકી હતી. 13 જાન્યુઆરી સુધીમાં લોકોએ સરક્યુલેશનમાં આપેલ 90 ખરબ કરતાં વધારે એટલે કે 96 ખરબ રૂપિયા બેંક અને કેશ ડિસ્પેન્સિંગ મશીનોમાંથી કાઢ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બરે નરેન્દ્ર મોદીએ કરેલી નોટબંધીની જાહેરાત પછીથી હજું સુધી સ્થિતિ સામાન્ય નથી થઈ. બેંકો દ્વારા હજુ પણ પૂરા પૈસા ઉપાડવા પર પ્રતિબંધ લાદેલો છે.