ટૂંકમાં સમયમા કેન્દ્ર સરકાર બેંકના ખાતાધારકોને એક નવત્તર સુવિધા આપવા જઈ રહી છે. આવનારા દિવસોમાં તમામ બેંકોમાં એક જ ખાતાથી કામ થઈ શકશે. એટલે કે એટીએમની જેમ જ ખાતુ કોઈપણ બેંકમાં હોવા છતાં તમે અન્ય બેંકમાંથી રૂપિયા કાઢી અને જમા કરાવી શકશો. કેન્દ્ર સરકાર ગ્રાહકોની સુવિધા માટે આ અંગે વિચારણા કરી રહી છે.
સૂત્રો જણાવે છે કે મંત્રાલય કોર બેન્કીંગ સોફટવેર જેવા નવા પ્લેટફોર્મ થકી પ્રથમ તબક્કામાં આ વ્યવસ્થાને સરકારી બેંકો પર લાગુ કરવા વિચાર રહી છે. હાલમાં બેંકોની દેશમાં 72 000થી વધુ શાખાઓ છે. સુત્રોનુ માનીએ તો રિઝર્વ બેંકની મંજુરી મળશે તો સરકાર આ વ્યવસ્થાને તુરંત લાગુ કરશે. આવતા મહિને આવનાર બજેટમાં આ અંગેની જાહેરાત થાય તેવી શકયતા છે.