નોટબંધીના 68 દિવસો બાદ હવે લોકોની મુશ્કેલી દૂર થઈ છે. એટીએમમાંથી હવે રોકડના ઉપાડની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. બચતખાતેદારો હવે એટીએમમાંથી રોજના રૂપિયા 10 હજારનો ઉપાડ કરી શકશે. જે મર્યાદા પહેલા સાડા ચાર હજારની હતી.
જો કે સપ્તાહમાં જે 24 હજારની મર્યાદા હતી તેને યથાવત રાખવામાં આવી છે. તો બીજી તરફ ચાલુ ખાતેદારો માટે પણ રોકડ ઉપાડની મર્યાદા વધારવામાં આવી છે. ચાલુ ખાતેદારો હવે તેમના ખાતામાંથી રોજના 1 લાખ રૂપિયાનો ઉપાડ કરી શકશે. જે મર્યાદા પહેલા 50 હજારની હતી. આરબીઆઈના આ નિર્ણય પર લોકોએ ખુશી વ્ય~ત કરી છે.