નોટબંધીના નિર્ણય બાદ RBI લોકોને રાહત મળે તેના માટે તમામ પગલા ભરી રહ્યું છે. ત્યારે તેમના આ પગલામાં એક ડગલું આગળ વધતા એટીએમમાંથી વિડ્રોઅલ લિમિટમાં વધારો કરવામાં આવી શકે છે. હવે આરબીઆઇની તૈયારી સેવિંગ અકાઉન્ટમાંથી રૂપિયા કાઢવાની લિમિટ વધારવાની છે. આ અંગે RBI જલ્દી જ નિર્ણય લઇ શકે છે.
આજ સુધી લોકો પોતાના ખાતામાંથી અઠવાડિયામાં 24 હજાર રૂપિયા નિકાળી શકતા હતા. જો કે હવે RBI સેવિંગ અકાઉન્ટમાંથી 35 હજાર નીકાળવાની છૂટ આપી શકે છે. અને તેની જાહેરાત બજેટ પહેલા કરવામાં આવી શકે છે.