કેન્દ્ર સરકાર આગામી બજેટ માટે કોન બનેગા કરોડપતિ કાર્યક્રમની જેમ જનતા સાથે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર સલાહ લેશે. ટ્વીટર ફેસબુક અને વેબસાઇટ પર સામાજિક ક્ષેત્રની યોજનાઓને પ્રોત્સાહન આપવા સવાલો પર ચાર વિકલ્પ આપવામાં આવશે અને આ ચાર વિકલ્પમાંથી કોઇ એક પર ક્લિક કરવું પડશે.
સરકાર યોજનાઓ પર પણ બજેટમાં વધારે ફાળવણી કરશે જેને ઓનલાઇન પ્લેટફોર્મ પર પસંદ કરવાની સંખ્યામાં સૌથી વધારે હોય. નાણા મંત્રાલય તરફથી સામાજિક ક્ષેત્રની યોજનાઓ માટે સોશિયલ મીડિયા પર કામ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
નાણા મંત્રાલયે એક ટ્વીટ કરીને ચાર સામાજિક યોજનાઓનો વિકલ્પ આપ્યો છે અને પૂછ્યું છે કે કઇ યોજનાને આગામી બજેટમાં સૌથી વધારે મહત્વ આપવાની જરૂર છે. સૌની માટે ઘર મુદ્રા યોજના સ્ટેન્ડ અપ અને સ્ટાર્ટ અપ ઇન્ડિયામાંથી કોઇ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે.