નોટબંધી બાદ મોદી સરકાર દેશમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શનને વ્યાપક સ્તરે પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે કેશલેસ પ્રણાલીને કારણે આગામી એક વર્ષમાં અઢી કરોડથી વધુ રોજગારીની તકો સર્જાશે. આ સાથે જ ડિજીટલ ક્ષેત્ર દેશના યુવાનો માટે રોજગારીનું હબ બની રહેશે.
નોટબંધી બાદ મોદી સરકાર દેશમાં વ્યાપક સ્તરે કેશલેસ પ્રણાલી માટે પ્રયાસો કરી રહી છે. આ માટે સરકાર દ્વારા કેશલેસ ટ્રાન્ઝેક્શન માટે પ્રોત્સાહક ઇનામો ભીમ એપ્લિકેશન ડિજિટલ પ્લેટફોર્મને પ્રોત્સાહન સહિતના અનેક પગલાં લીધા છે. ત્યારે નિષ્ણાતોનું માનીએ તો કેશલેસ પ્રણાલીને કારણે આગામી એક વર્ષમાં દેશમાં અઢી કરોડની રોજગારીની તકો સર્જાશે. કેશલેસની ડિમાંડને જોતા કેન્દ્ર અને રાજ્યની સરકારની કચેરીઓમાં બેંકો અને ખાનગી કંપનીઓ તેમજ ડિજિટલ ક્ષેત્રે પ્રત્યક્ષ અને પરોક્ષ ટેકનિકલ સ્ટાફની જરૂરિયાત ઉભી થશે. 2017 સુધીમાં તેના પરિણામો જોઈ શકાશે. જેને ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઇનમાં જોડવામાં આવશે.
કેશલેસને જોતા કેદ્ર અને રાજ્ય સરકારના વિવિધ ખાતામાં ડિજિટલ એક્સપર્ટ સોફ્ટવેર એન્જિનિયર્સ બાયો-મેટ્રિક અને સાઇબર સુરક્ષાના નિષ્ણાતોની માંગ વધી રહી છે. એમાં પણ પ્રાદેશિક ભાષામાં નિષ્ણાતો તૈયાર કરવા એ સરકાર માટે મોટો પડકાર છે. વાણીજ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીનું માનીએ તો વર્ષના અંત સુધીમાં દેશમાં અઢી કરોડની રોજગારીની તકો સર્જાશે. હાલમાં ડિજિટલ ક્ષેત્રે 27 લાખથી વધુ લોકો આ ક્ષેત્રે રોજગાર મેળવી રહ્યા છે.
ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને સંબંધિત ક્ષેત્રોમાં 2019 સુધીમાં 10 લાખથી વધુ રોજગારની તકો સર્જાશે. એક લાખ કરોડ રૂપિયાના આ અભિયાન અંતર્ગત અઢી લાખ ગામોને બ્રોડબેન્ડ અને કેનેક્ટિવિટી ચાર લાખ પબ્લિક ઇન્ટરનેટ સેન્ટર અઢી લાખ વાઇ-ફાઇ સ્કૂલ તૈયાર કરવાનું તેમજ દરેક યુનિવર્સિટીને ઇન્ટરનેટ સાથે જોડવાની ઝુંબેશ છે.