બ્લેકમની ઝુંબેશને આંચકો લાગ્યો છે. ભારતીયોએ 97 ટકા જૂની નોટ બેંકમાં જમા કરી. પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી ત્યારે માનવામાં આવતું હતું કે મોટા પ્રમાણમાં બ્લેક મની સિસ્ટમમાંથી બહાર નીકળી જશે.
પરંતુ ભારતીયોએ 30 ડિસેમ્બર સુધીમાં લગભગ 97 ટકા જેટલી જૂની નોટ બેન્કોમાં જમા કરી દીધી છે. ભ્રષ્ટાચાર અને કાળાં નાણાંને ખતમ કરવાના મોદીના પ્રયાસ માટે આ આંચકાજનક બાબત છે.