આરબીઆઈએ પ્રતિબંધિત કરાયેલી 500-1000ની ચલણી નોટો બદલવાની શરતોની જાહેરાત કરી છે. 31 ડિસેમ્બર 2016 સુધીમાં નોટ બદલાવવામાં અસફળ રહેલા લોકો માટે આ શરતો છે.
RBIએ તેના નિવેદને જણાવ્યું કે જે ભારતીય નાગરિક જે 9 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી વિદેશમાં હતા તે 31 માર્ચ 2017 સુધી RBIમાં નોટો બદલાવી શકે છે. અને NRI 30 જૂન 2017 સુધીમાં નોટ બદલાવી શકે છે.
આરબીઆઈએ જણાવ્યું છે કે નાગરિક આ સુવિધાનો ઉપયોગ સમય મર્યાદામાં એક જ વાર કરી શકે છે. આ સુવિધાનો લાભ લેવા માટે તેમણે એક ઓળખપત્ર સાથે પુરાવા આપવા પડશે કે તેઓ 9 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી વિદેશમાં હતા અને નોટ બદલવાની સુવિધાનો ઉપયોગ પહેલા કર્યો નથી.