નોટબંધીના નિર્ણય સામે સરકારે માંગેલી 50 દિવસની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે આ સાથે જ જૂનું કેલેન્ડર પણ બદલાઈ રહ્યું છે ત્યારે નવા વર્ષમાં કેશની સ્થિતિ સામાન્ય બનશે કે કેમ તેને લઈને સૌને સવાલ છે તો નવા વર્ષમાં કોમન પીપલ માટે બહું સારા સમાચાર નથી લોકોએ નવી નોટો માટે હજી માર્ચ સુધી ધીરજ રાખવી પડશે.
નોટબંધીને પગલે દેશની જનતાએ છેલ્લા 50 દિવસમાં જે હાલાકી ભોગવી છે તેનો અંત 31 ડિસેમ્બરથી થઈ જશે તેવી માન્યતા ભૂલ ભરેલી છે સરકારે નોટબંધી મુદ્દે 50 દિવસની સમય મર્યાદા પૂર્ણ થતા એટીએમમાંથી કેશ ઉપાડવાની મર્યાદા રૂપિયા 2500થી વધીને 4500 કરી છે જ્યારે સપ્તાહમાં ખાતામાંથી રૂપિયા ઉપાડવાની મર્યાદા રૂપિયા 24000 યથાવત રાખવામાં આવી છે ત્યારે એટીએમ બહારની લાઇનો આગામી માર્ચ સુધી યથાવત રહેશે. મીડિયાકર્મીઓને સંબોધતા નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું છે કે અર્થતંત્રના ખરાબ દિવસ પૂરા થઈ ગયા છે. હવે દેશની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વધુમાં તેમણે કહ્યું કે રિ{ર્વ બેંક પાસે પુરતી કરન્સી છે ત્યારે બેંકો અને એટીએમની સ્થિતિમાં આગામી માર્ચ સુધીમાં સ્થિતિ સામાન્ય બનશે.
અર્થતંત્રના `અચ્છે દિન' ક્યારે?
નોટબંધીની 50 દિવસની સમય મર્યાદા પૂર્ણ
ATMમાંથી કેશ ઉપાડવાની મર્યાદા રૂ. 4500 કરાઇ
ATM બહારની લાઇનો માર્ચ સુધી યથાવત
નાણામંત્રી અરૂણ જેટલીની જાહેરાત
અર્થતંત્રના ખરાબ દિવસો પૂર્ણ
હવે સુધરશે અર્થતંત્રની હાલત
નિષ્ણાતોનું માનીએ તો બે મહત્વના પરિબળો છે જેમાં એક તો સરકાર કેટલા પ્રમાણમાં 500 અને 100ની નોટ છાપે છે બીજુએ કે લોકોએ સમજવું પડશે કે પહેલા જેટલી કરન્સી હવે અર્થતંત્રમાં નહીં આવે. બની શકે કે 8 નવેમ્બર પૂર્વેની અપેક્ષીએ 20થી 25 ટકા કરન્સી ઓછી મળશે નિષ્ણાતોનું માનવું છે કે ફેબ્રુઆરી સુધીમાં 75થી 80 ટકા કરન્સી ફરીથી ચલણમાં આવી જશે જેને પગલે માર્ચ સુધીમાં એટીએમ બહારની લાઇનો ખતમ થઈ જશે.
કેટલી કરન્સી આવશે અર્થતંત્રમાં?
રૂ. 500 100ની નોટ કેટલા પ્રમાણમાં છપાય છે?
બજારમાં પહેલા જેટલી કરન્સી નહીં આવે
પહેલાની અપેક્ષાએ 20થી 25 ટકા કરન્સી ઓછી
ફેબ્રુઆરી અંત સુધીમાં 75થી 80 ટકા કરન્સી ફરી ચલણમાં
માર્ચ સુધીમાં ATM બહારની લાઇનો ખતમ થઈ જશે
આજે પણ દેશના 80 ટકા એટીએમની હાલત ખરાબ છે. પહેલાની અપેક્ષાએ હાલમાં એટીએમમાં માત્ર 10 ટકા કેશ નાખવામાં આવે છે. ત્યારે જાન્યુઆરીથી એટીએમમાં કેશનું પ્રમાણ વધશે. બેંકોએ એ પણ જોવું પડશે તે તેમના દરેક વર્ગના અધિકારીઓ પ્રમાણિકતાથી કામ કરે. ત્યારે નોટબંધી બાદ અત્યંત ખેંચ વચ્ચે પણ દેશની જનતાએ ધરેલી ધીરજની હજી માર્ચ સુધી પરીક્ષા થવાની છે એ નક્કી.