નવા વર્ષ પર સારા સમાચાર મળી શકે છે. કેન્દ્ર સરકાર નવા વર્ષમાં નાણાં ઉપાડવાની મર્યાદામાંથી છૂટ આપી શકે છે. આ બાબતની જાણકારી કેન્દ્રિય નાણા રાજ્યમંત્રી સંતોષ ગંગવારે આપી હતી.
ગંગવારે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈંટરવ્યૂમાં કહ્યું કે મને જણાવવામાં આવ્યું છે કે રોજના 25-30 કરૉડ નોટ છાપવામાં આવી રહ્યા છે. એક જાન્યુઆરી બાદ રોકડ ઉપાડવાની મર્યાદામાં વધારો કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું ઓછી માત્રામાં પૈસા મેળવવાની હેરાનગતીથી છુટકારો મળશે છેલ્લા ઘણા દિવસોથી લેન-દેનમાં સુધાર જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનિય છે કે કેંદ્ર સરકારે 500 અને 1000 રૂપિયાની નોટબંધી કરતા સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો. બેંકો અનેન એટીએમની બહાર મોટી લાઈનો જોવા મળે છે કારણ કે બેંકની પાસે પર્યાપ્ત માત્રામાં પૈસા નથી.