રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાનો જૂનો આદેશ પાછો ખેંચ્યો છે. આરબીઆઈના નવા આદેશ પ્રમાણે હવે રૂ.5000થી વધારેના મૂલ્યની જૂની 500 અને 1000ની નોટોને બેન્કમાં જમા કરાવતી વખતે પૂછપરછ કરવામાં નહીં આવે.
RBIએ પાંચ હજારથી વધારે મૂલ્યની ગેરમાન્ય જાહેર કરાયેલી કરન્સી નોટોને પૂછપરછ કર્યા વગર બેન્કમાં જમા કરાવી શકાશે. હવે આરબીઆઈના યુટર્ન બાદ બેન્કોમાં પાંચ હજારથી વધુની કિંમતની ચાહે તેટલી વાર જૂની ચલણી નોટોને બેન્કોમાં પૂછપરછ વગર જમા કરાવી શકાશે.
આ પહેલા RBIએ નોટીફિકેશન બહાર પાડીને જણાવ્યું હતું કે બેંકોમાં રૂ.5000થી વધારાની જૂની નોટો જમા કરાવવા પર બેંક દ્વારા પૂછપરછ કરવામાં આવશે.