નોટબંધીને પગલે રૂપિયા મેળવવા માટે જનતા પરેશાન છે. તેમજ બેંકની બહાર લાંબી કતારો ઉભા રહેવાનો વારો આવ્યો છે. તો બીજીબાજુ મોરારીબાપુએ પણ નોટબંધી મુદ્દે કટાક્ષ કર્યું હતું. મોરારીબાપુએ તેમના એક શ્રોતા વિશે વાત કરતા જણાવ્યું હતું. દહેવાણ ગામે એક શાળાના ઉદ્ઘાટન પ્રસંગે મોરારીબાપુએ આ પ્રસંગની વાત કરી હતી.
જેમાં પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાત વિશે જણાવ્યું હતું કે પીએમ મોદીએ પણ પોતાને બાવા કહ્યા હતા. માટે મોરારીબાપુએ કહ્યું કે એક બાવાનું બાવાને અભિનંદન. ત્યારે આ વાતને લઈને તેમના શ્રોતાએ જણાવ્યું હતું કે આખા દેશને બાવો બનાવવાની શું જરૂર હતી?
તો બીજીબાજુ વિપક્ષના નેતા શંકરશસહ વાઘેલાએ મોરારીબાપુના વ્યંગને ટાંકીને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.. અને ~હયું હતું કે આ નોટબંધીનો નિર્ણય એ આખા દેશને બાવો બનાવવા જેવું જ છે. એક બાવાના એક બાવાને અભિનંદન બાપુ તમે એક બાવા તરીકે એક બાવાને અભિનંદન આપ્યા તે તમારા બેની વચ્ચે હતું આ આખા દેશને બાવો કરવાનું કોણે કહ્યું હતું ?